Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી

મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી

24 January, 2019 12:47 PM IST |

મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી

કરણ જોહરનું કહેવું છે કે આ વિવાદ માટે તે પોતાને જવાબદાર માને છે

કરણ જોહરનું કહેવું છે કે આ વિવાદ માટે તે પોતાને જવાબદાર માને છે


‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે કરેલા વક્તવ્ય સંદર્ભે કરણ જોહરે જણાવ્યું કે તેની રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. જોકે સાથે જ કરણે એમ પણ કહ્યું હતું કે ચૅટ-શોમાં મળતા જવાબો પર તેનું કોઈ નિયંત્રણ નથી હોતું. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં કરણે કહ્યું હતું કે ‘હું એટલું જરૂર કહીશ કે હું પોતાને જવાબદાર માનું છું, કારણ કે આ મારો શો અને મારું પ્લૅટફૉર્મ છે. હું તેમને એક મહેમાન તરીકે બોલાવું છું અને એથી જ શોને લઈને જે કંઈ પણ ઘટના બની હોય અને જે પણ પ્રતિક્રિયા આવે એ મારી જવાબદારી છે. આ વિવાદ ચગ્યા બાદ મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. હું સતત એ જ વિચારતો હતો કે આ ભૂલને કેવી રીતે સુધારી શકાય. કોણ મારી વાત સાંભળશે? આ વસ્તુ હવે એ લેવલ પર પહોંચી ગઈ છે કે એના પર હવે મારું નિયંત્રણ નથી રહ્યું.

આ પણ વાંચો : એક કલાકાર એકલો ફિલ્મને સફળતા ન અપાવી શકે



હું અહીં એક વાત કહેવા માગું છું અને હું મારો બચાવ નથી કરી રહ્યો. મેં જે સવાલો એ બન્નેને પૂછ્યા હતા એ જ સવાલો હું દરેકને પૂછું છું અને એમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મારા શોમાં જ્યારે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ આવી હતી ત્યારે એ જ સવાલો મેં તેમને પણ પૂછ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2019 12:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK