Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુસલમાનોને નફરત કરવાની હવે ફૅશન થઈ હોવાનું કહીને નસીરુદ્દીન શાહે કર્યો વિવાદ

મુસલમાનોને નફરત કરવાની હવે ફૅશન થઈ હોવાનું કહીને નસીરુદ્દીન શાહે કર્યો વિવાદ

31 May, 2023 04:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે સેક્યુલર અને લોકશાહી વિશે ચર્ચા કરીએ છીએ તો પછી એમાં ધર્મને શું કામ વચ્ચે લાવીએ છીએ? - નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ


નસીરુદ્દીન શાહનું કહેવું છે કે મુસલમાનોને નફરત કરવાનું હવે ફૅશન બની ગયું છે. ખાસ કરીને શિક્ષિત લોકોમાં. મુસ્લિમ લોકોને નફરત કરવાનું લોકોના મનમાં ઠોકી બેસાડવામાં આવ્યું છે. એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘વર્તમાન સમય ચિંતાજનક છે. સ્ક્રીન પર જે દેખાડવામાં આવે છે એ આપણી આસપાસ ઘટે છે. મુસલમાનોને નફરત કરવાની આજકાલ ફૅશન બની ગઈ છે. ખાસ કરીને શિક્ષિત લોકોમાં પણ આ સમાયેલું છે. સત્તાધારી પક્ષે પણ ચતુરાઈથી લોકોમાં એ બાબત બેસાડી છે. આપણે સેક્યુલર અને લોકશાહી વિશે ચર્ચા કરીએ છીએ તો પછી એમાં ધર્મને શું કામ વચ્ચે લાવીએ છીએ? જો કોઈ મુસ્લિમ નેતા એમ કહે કે અલ્લાહુ અકબર બોલીને વોટનું બટન દબાવો તો વિવાદ મચી જાય છે. આવી જ વસ્તુ આપણા વડા પ્રધાન કરે છે. મારું માનવું છે કે આવી વસ્તુઓ હટવી જોઈએ. સરકાર દ્વારા આ વસ્તુ ચાલાકીથી ઠસાવવામાં આવી છે. હવે જોઈએ ક્યાં સુધી આવું ચાલ્યા કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK