કરણ જોહરે જણાવ્યું છે કે તેની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કામ કરવાની જો કાજોલે ના પાડી હોત તો ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હોત.
કરણ જોહર
કરણ જોહરે જણાવ્યું છે કે તેની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કામ કરવાની જો કાજોલે ના પાડી હોત તો ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હોત. આ પારિવારિક ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન અને કરીના કપૂર ખાન જોવા મળ્યાં હતાં. જોકે ૨૦૧૬માં રિલીઝ થયેલી કરણની ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’માં ઐશ્વર્યા જોવા મળી હતી. કાજોલ વિશે કરણે કહ્યું કે ‘હું જ્યારે ‘કભી ખુશી કભી ગમ’નું કાસ્ટિંગ કરી રહ્યો હતો ત્યારે મને જાણ થઈ કે કાજોલ કદાચ આ ફિલ્મમાં કામ નહીં કરે, કારણ કે તેનાં લગ્ન થઈ ગયાં હતાં અને તે ઘર-પરિવારમાં વ્યસ્ત હશે. એથી મને વિચાર આવ્યો કે હું ઐશ્વર્યાને આ રોલ ઑફર કરું. એથી એક દિવસ હું કાજોલના સ્ટુડિયો પહોંચ્યો હતો અને મને વિચાર આવ્યો કે તે કદાચ ના પાડશે. અમે થોડા ઇમોશનલ થઈશું અને હું ત્યાંથી નીકળી જઈશ. મને ખરાબ તો લાગશે, કારણ કે કાજોલ પહેલાં મારી સાથે કામ કરી ચૂકી છે. જોકે સમજમાં ન આવ્યું કે તેનામાં શું પરિવર્તન આવ્યું. કાજોલને ખરેખર એ ફિલ્મમાં કામ કરવું હતું. એથી હું ઐશ્વર્યાને મળવા ન ગયો. જોકે ઐશ્વર્યા મારી પસંદ હતી.’