Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણથી સિખના નરસંહારની સ્ટોરી સાંભળતો આવ્યો છું : દિલજિત દોસંજ

બાળપણથી સિખના નરસંહારની સ્ટોરી સાંભળતો આવ્યો છું : દિલજિત દોસંજ

19 September, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ ઘટનાને દેખાડતી તેની ફિલ્મ ‘જોગી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજે જણાવ્યું છે કે તે બાળપણથી ૧૯૮૪માં થયેલી સિખોના નરસંહારની સ્ટોરી સાંભળતો આવ્યો છે. તેનો જન્મ પણ ૧૯૮૪માં થયો હતો. એ ઘટનાને દેખાડતી તેની ફિલ્મ ‘જોગી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે. એ ઘટના વિશે દિલજિતે કહ્યું કે ‘મારો જન્મ ૧૯૮૪માં થયો હતો. નરસંહારની એ સ્ટોરી હું સાંભળતાં-સાંભળતાં મોટો થયો છું. એના પર મને વિશ્વાસ નહોતો. હું જ્યારે મોટો થયો, જોયું અને એ ઘટના વિશે સાંભળ્યું ત્યારે જાણ થઈ કે ખરેખર આવું ઘટ્યું હતું. એથી એ બધી સ્ટોરીઝને મારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. આ સ્ટોરી વાસ્તવિક છે. એમાં કંઈ પણ કાલ્પનિક નથી. ૧૯૮૪માં જે ઘટ્યું એના જે સાક્ષી હતા તેઓ આ સ્ટોરી સાથે રિલેટ કરી શકશે અને નવી પેઢીને એના વિશે જાણવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK