Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ મેકર આનંદ પંડિતે મુંબઈ હાફ મૅરેથૉન 2026 પૂર્ણ કરી, જાણો શું કહ્યું

ફિલ્મ મેકર આનંદ પંડિતે મુંબઈ હાફ મૅરેથૉન 2026 પૂર્ણ કરી, જાણો શું કહ્યું

Published : 20 January, 2026 06:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મૅરેથૉન પૂર્ણ કર્યા પછી, તેમણે કહ્યું કે લાંબા અંતરની રમતો શારીરિક અને માનસિક શક્તિની પરીક્ષા લે છે. તેમણે કહ્યું કે આટલી મુશ્કેલ દોડ પછી ફિનિશ લાઇન પર પહોંચવું તેમના માટે ખૂબ આનંદ અને રાહતની ક્ષણ હતી.

આનંદ પંડિત

આનંદ પંડિત


મુંબઈના પ્રખ્યાત ફિલ્મ મેકર આનંદ પંડિતે ૧૯ જાન્યુઆરીએ ટાટા મુંબઈ મૅરેથૉનમાં ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક હાફ મૅરેથૉન પૂર્ણ કરી. ૬૩ વર્ષની ઉંમરે તેમણે ૨૧ કિલોમીટરથી વધુનું સંપૂર્ણ અંતર કાપ્યું હતું. ફિલ્મ ઉદ્યોગમાં ફિટનેસ માટે ઉત્સાહી ગણાતા આનંદ પંડિતે અગાઉ વિદેશમાં ક્રોસ-કન્ટ્રી સાયકલિંગ ઈવેન્ટમાં ભાગ લીધો છે. મૅરેથૉન પૂર્ણ કર્યા પછી, તેમણે કહ્યું કે લાંબા અંતરની રમતો શારીરિક અને માનસિક શક્તિની પરીક્ષા લે છે. તેમણે કહ્યું કે આટલી મુશ્કેલ દોડ પછી ફિનિશ લાઇન પર પહોંચવું તેમના માટે ખૂબ આનંદ અને રાહતની ક્ષણ હતી.

આનંદ પંડિતે મૅરેથૉનમાં મોટી સંખ્યામાં લોકોના સહભાગ પર આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે વિવિધ બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકોને ફિનિશ લાઇન સુધી દોડતા, ચાલતા અને જૉગિંગ કરતા જોવું ખૂબ જ સારું લાગ્યું. તેમના મતે, આવી ઘટનાઓ સ્પષ્ટપણે મુંબઈની વિવિધતા અને ઉર્જા દર્શાવે છે. મુંબઈમાં અનેક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને વિવિધ ભાષાઓમાં સફળ ફિલ્મોમાં સામેલ થયેલા આનંદ પંડિતે કહ્યું કે આવી ઘટનાઓ લોકોને એકસાથે લાવે છે અને સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે જાગૃતિ લાવે છે. તેમણે કહ્યું કે મુંબઈની ભાવનાને મજબૂત કરવા માટે આવા વધુ કાર્યક્રમો યોજવા જોઈએ.



આનંદ પંડિત વિશે


પ્રોડ્યુસર આનંદ પંડિતે 2023માં પોતાના 60મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે મીડિયા જગતમાં તેમની તંદુરસ્તી અને યુવાન દેખાવની ઘણી પ્રશંસા થઈ હતી. પરંતુ જે પંડિતને નજીકથી જાણવાની તક મળી છે, તે જાણે છે કે તેમની તંદુરસ્તીનું રહસ્ય યોગ, સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલીમાં છે. આનંદ પંડિત ન માત્ર યોગાભ્યાસ કરે છે પણ તેઓ ક્રૉસ-કન્ટ્રી સાયક્લિંગ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગના મધ્યમથી પોતાનું ફિટનેસ સ્તર જાળવે છે. તેમ છતાં, તેઓ માટે યોગ એ માત્ર કસરત નહીં પણ મનની શાંતિ મેળવવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે. યોગ તેમને તાજગી આપે છે, મગજ શાંત કરે છે અને શરીરને ચુસ્ત રાખે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના આ સફળ ઉદ્યોગપતિ અને `આનંદ પંડિત મોશન પિક્ચર્સ`ના વડા મને છે કે યોગનો અભ્યાસ તેમને એકસાથે અનેક કામો સ્થિરતા અને શાંતિપૂર્વક સંભાળવાની શક્તિ આપી છે અને તેઓ જીવનમાં સંતુલન જાળવી શકે છે.

ટાટા મુંબઈ મેરેથોન 2026માં સ્વાસ્થ્ય, સેવા, આત્મનિર્ભરતા, માનવતા, પર્યાવરણનો સંદેશ ફેલાવીને; અક્ષમતાઓને અવગણીને અને ઉંમરને ન ગણકારીને ભાગ લેવા આવતા લોકો જ મુંબઈની આ જગવિખ્યાત દોડના ખરા સિતારા છે. રવિવારે મુંબઈમાં યોજાયેલ મૅરેથૉનમાં સમુદાય ભાવનાનો ઉત્સવ જોવા મળ્યો, જેમાં હજારો દોડવીરો અને સમર્થકો એકઠા થયા હતા. સિનિયર સિટીઝન્સનો તો ઉત્સાહ જોવા જેવો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 06:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK