અનુભવ સિંહાની ‘ભીડ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર, દિયા મિર્ઝા, પંકજ કપૂર અને આશુતોષ રાણા કામ કરી રહ્યાં છે
દિયા મિર્ઝા
દિયા મિર્ઝાનું કહેવું છે કે ‘ભીડ’માં વિશેષાધિકાર મેળવનાર અને પછાત લોકો વચ્ચેના ઇશ્યુની વાત કરવામાં આવી છે. અનુભવ સિંહાની ‘ભીડ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર, દિયા મિર્ઝા, પંકજ કપૂર અને આશુતોષ રાણા કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ વિશે વાત કરતાં દિયા મિર્ઝાએ કહ્યું કે ‘ટ્રેલર જોઈને લૉકડાઉન દરમ્યાન લાખો લોકોએ જે યાતના ભોગવી હતી એ યાદ આવી ગઈ. લોકોએ પોતાના ફૅમિલી મેમ્બર ખોયા હતા, હાર્ટબ્રેક, કેટલાકને મદદ નહોતી મળી જેવી હ્યુમન સ્ટોરી જોવામાં આવી હતી, તો કેટલાક એવા લોકો પણ હશે જેમની સ્ટોરી બહાર નથી આવી. લૉકડાઉનને ત્રણ વર્ષ થઈ ગયાં છે. આ ટ્રેલર આપણને એ પણ યાદ કરાવે છે કે આપણને ડાયરેક્ટ કોઈ ટ્રૅજેડીએ અસર ન કરી હોય એવી વાત આપણે કેટલી જલદી ભૂલી જઈએ છીએ. મારા બાળકથી અલગ હોવાનો ડર કેવો હોય છે એ ઇમેજિન કરવું મારા માટે સહેલું છે, પરંતુ આ સ્ટોરીમાં એના કરતાં મહત્ત્વના મુદ્દાની વાત કરવામાં આવી છે. આ સ્ટોરીમાં વિશેષાધિકાર મેળવનાર અને પછાત લોકો, પાવર અને પાવરલેસ તેમ જ માનવતા અને ક્રૂરતાની વાત કરવામાં આવી છે.’