અજય દેવગન સિવાય કાજોલને કોના પર ક્રશ હતો એનો ખુલાસો ‘ઝલક દિખલા જા 10’માં થયો છે.
કાજોલ
અજય દેવગન સિવાય કાજોલને કોના પર ક્રશ હતો એનો ખુલાસો ‘ઝલક દિખલા જા 10’માં થયો છે. આ શોને કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહી જજ કરે છે તો શોને મનીષ પૉલ હોસ્ટ કરે છે. આ ડાન્સ રિયલિટી શો શનિવાર અને રવિવારે રાતે ૮ વાગ્યે કલર્સ પર ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં કાજોલ પહોંચી હતી. એમાં મનીષ મજાકિયા અંદાજમાં કરણને પૂછે છે કે અજય દેવગન સિવાય બૉલીવુડમાં એવું કોણ હતું જેના પર કાજોલ મૅમને ક્રશ હતો. તો એનો જવાબ આપતાં કરણ સ્લેટ પર અક્ષયકુમારનું નામ લખે છે. તો સામે મનીષ પૂછે છે કે શું આ વાતની જાણ અજય સરને છે? બાદમાં કાજોલ પણ ખૂબ હસે છે.