Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Manoj Bajpayeeના માતા ગીતા દેવીનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન

Manoj Bajpayeeના માતા ગીતા દેવીનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન

08 December, 2022 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગીતા દેવી(Geeta Devi)છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતાં.

મનોજ બાજપેયી

મનોજ બાજપેયી


બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજેપયી(Manoj Bajpayee Mother)ના માતા ગીતા દેવીનું નિધન થયું છે. લાંબી બિમારીનો સામનો કર્યા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે ગીતા દેવી(Geeta Devi)છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતાં, ત્યાર બાદ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરલામાં આવ્યાં હતાં. વિતેલા દિવસો દરમિયાન તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે સવારે તેમની તબિયત વધારે લથડી પડી અને 80 વર્ષની વયે તેમણે પ્રાણ છોડી દીધા હતાં. 

માતાના નિધન બાદ મનોજ બાજપેયી અને તેમનો પરિવાર શોકમાં છે. અભિનેતા પોતાના પરિવારને કપરી સ્થિતિમાં સંભાળી રહ્યાં છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ગીતા દેવીની સારવાર દિલ્હીની પુષ્પાંજલિ મેડિક સેન્ટર અને મેક્સ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે, આ દરમિયાન પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અભિનેતા પોતાની માતાને મળવા હોસ્પિટલ જતા હતાં. 



મનોજ બાજપેયીના માતાના નિધનની જાણકારી અશોક પંડિતે ટ્વિટ કરી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે,`મનોજ બાજપેયી આપની આદરણિય માતાના દુ:ખદ નિધન પર તમને અને તમારા પરિવારને અમારી તરફથી હાર્દિક સંવેદનાઓ, ઓમ શાંતિ.` જણાવી દઈએ કે અભિનેતા કેટલાક વર્ષો પહેલા પોતાના પિતાને ગૂમાવી ચુક્યા છે. તે પોતાના માતા-પિતાની ખુબ જ નજીક હતાં. કેટલીય વાર તે પોતાની માતાની વાતોને વાગોળતાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK