Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘હું તો ઇચ્છું છું કે...’નું પાલન કરવાની ભાવના

‘હું તો ઇચ્છું છું કે...’નું પાલન કરવાની ભાવના

Published : 17 February, 2024 12:10 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

‘હું તો ઇચ્છું છું કે...’ ત્યારે મારે માનવું કે એ આપની જ ઇચ્છા છે અને મારે એને પાળવાની છે.’

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ

ધર્મ લાભ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ


એ દિવસ હતો અષાઢ સુદ પૂનમનો. લોકોમાં જે દિવસની ઓળખાણ ‘ગુરુપૂર્ણિમા’ તરીકે થાય છે એ જ દિવસ. 
બપોરે એક બહેન, કદાચ તેમની ઉંમર ૩૫-૪૦ આસપાસ હશે, વંદનાર્થે આવ્યાં છે. વંદન કરીને તેમણે મને વિનંતી કરી, 
‘ગુરુપૂર્ણિમા નિમિત્તે આપને ઠીક લાગે એ નિયમ આપી દો.’
‘પાળી શકશો...’
‘અંતિમ શ્વાસ સુધી...’
‘જડ થવાની જરૂર નથી... શ્રદ્ધા સાથે પાળશો તો પણ ચાલશે...’

પછી હું પળ-બે પળ મૌન રહ્યો અને એ પછી કાંઈ બોલું એ પહેલાં તેમણે સામેથી જ મને કહ્યું.
‘ગુરુદેવ, હું રોજ આપનાં પ્રવચનોમાં આવું છું. આજ પછી પ્રવચનમાં આપના મુખે જ્યારે પણ ‘હું એમ ઇચ્છું છું કે...’ એ વાક્ય નીકળે ત્યારે એ વાક્ય જે પણ સંદર્ભમાં આપના મુખમાંથી નીકળ્યું હશે એનો હું અમલ કરીને રહીશ.’ વાતને રોકવાને બદલે તેમણે પોતાની ભાવના આગળ વ્યક્ત કરી, ‘ચાહે એ વાક્ય ધર્મપ્રવૃત્તિના સંદર્ભમાં હશે કે પાપનિવૃત્તિના સંદર્ભમાં હશે, કર્તવ્યપાલનના સંદર્ભમાં 
હશે કે ઔચિત્યપાલનના સંદર્ભમાં હશે. આજના મંગળ દિને આપ મને આ નિયમ આપી દો.’ 
‘સાધુ તો ચલતા ભલા... હું ક્યાં સુધી અહીં રહેવાનો?’
‘એનો રસ્તો પણ મેં વિચારી રાખ્યો છે...’ એ બહેન મનોમન બધું નક્કી કરીને આવ્યાં હોય એ રીતે બોલ્યાં, ‘આપનાં સવાચારસોથી વધારે જે પુસ્તકો છે એ બધાં મારા ઘરમાં છે, જેનું હું નિયમિત પઠન કરું છું. એ પુસ્તક વાંચતી વખતે જ્યાં પણ એવું તમે લખ્યું હશે કે ‘હું તો ઇચ્છું છું કે...’ તો એ શબ્દોને આપની આજ્ઞા ગણીને મારે એનું પાલન કરવાનું અને આપની ઇચ્છા પૂર્ણ કરવાની...’
‘ધારો કે એમાં પણ કંઈ ન મળ્યું તો...’
‘એનો પણ રસ્તો છે...’ વિચારોનાં મક્કમ એવાં એ બહેને કહ્યું, ‘તમારી ગેરહાજરીમાં અહીં જેકોઈ ગુરુભગવંત આવે અને વ્યાખ્યાન આપે એ પણ સાંભળવા હું આવતી હોઉં છું. તેમના મોઢે પણ જ્યારે આવશે કે ‘હું તો ઇચ્છું છું કે...’ ત્યારે મારે માનવું કે એ આપની જ ઇચ્છા છે અને મારે એને પાળવાની છે.’
‘ધારો કે દિવસ દરમ્યાન એક પણ વાર એવું સાંભળવામાં ન મળ્યું તો...’
‘એ દિવસે હું આયંબિલ કરીને ઈશ્વર પાસે ક્ષમાપના માગીશ.’
એ બહેનના આ સત્ત્વસભર પરાક્રમે મને રીતસરનો સ્તબ્ધ કરી દીધો.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2024 12:10 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK