અમેરિકાના ન્યાય વિભાગે તેના પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યાના અઠવાડિયા પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે ચાર મહિના તિહાર જેલમાં વિતાવ્યા હતા અને આ વર્ષે એપ્રિલમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો
વિકાસ યાદવ
સ્વતંત્ર ખાલિસ્તાનની હિમાયત કરનારા જાણીતા સિખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપ બાદ ભારતનો ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ વૈશ્વિક વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. અમેરિકા અને કૅનેડાની નાગરિકતા ધરાવતો પન્નુ ભારતનો પ્રખર ટીકાકાર અને ખાલિસ્તાન ચળવળનો હિમાયતી છે.




