ધર્મ એ કંઈ ગીતા મારફત જ સમજવાનો શબ્દ નથી. સચ્ચાઈનો સ્વીકાર એટલે ધર્મ.
પ્રતીકાત્મક તસવીર
શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ. આ દિવસને કરોડો માણસો જન્માષ્ટમી તરીકે અત્યંત પવિત્ર માનતા હોય છે. આ જન્માષ્ટમી એટલે સૌને મન શ્રીકૃષ્ણ જયંતી છે. શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો એવી માન્યતા સર્વસાધારણ છે. વાસ્તવમાં શ્રીકૃષ્ણ વિશે જે કંઈ લખાયું છે એ શ્રીમદ્ ભાગવત, મહાભારત તથા અનેક ગ્રંથોમાં શ્રીકૃષ્ણ આ દિવસે જન્મ્યા હતા એવો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ચૈત્ર સુદ નવમી રામનવમી છે, ભાદરવા સુદ ચોથ ગણેશચતુર્થી છે, ભાદરવા સુદ બારસ વામનદ્વાદશી છે અને વૈશાખ સુદ પૂનમ બુદ્ધજયંતી છે એ રીતે શ્રાવણ વદ આઠમ કૃષ્ણજયંતી નથી. શ્રીકૃષ્ણનો જન્મ આ ચોક્કસ દિવસે થયો એ માન્યતા પરંપરા છે.




