આ છોડને ડાયરેક્ટ તડકામાં રાખીએ તો એનાથી પાંદડાં બળી જઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
કોઈને ગાર્ડનિંગ ગમતું હોય કે ન ગમતું હોય, એકાદ તુલસીનો છોડ કે મની પ્લાન્ટ જેવું તો બાલ્કનીમાં રાખવું સૌને ગમે. આમેય મની પ્લાન્ટ એવો છોડ છે જેને ઓછામાં ઓછી માવજતની જરૂર પડે છે. એમ છતાં જો પૂરતો સૂર્યપ્રકાશ, જરૂરી ખાતર, પાંદડાંની સફાઈ અને સપોર્ટ ન આપવામાં આવે તો એનાં પાંદડાં પીળાં પડવા લાગે છે અને નવાં પાંદડાં ઊગવાની સ્પીડ ઘટી જાય છે. મની પ્લાન્ટ વાવતા હો તો આ પાંચ ચીજો અચૂક ધ્યાનમાં રાખજો.




