સરકાર નિકાસકારોને 600 કરોડની ઇન્ટરેસ્ટ સબસિડી પૂરી પાડશે
સરકાર નિકાસકારોને ઇન્ટરેસ્ટ સબસિડી પૂરી પાડશે
નિકાસ વધારવા માટે ગઈ કાલે સરકારે નક્કી કર્યું હતું કે મર્ચન્ટ એક્સર્પોટર્સને ત્રણ ટકા ઇન્ટરેસ્ટ સબસિડી પૂરી પાડવી. આ નર્ણિય આર્થિક બાબતોને લગતી કૅબિનેટ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો.
આ દરખાસ્ત હેઠળ નિકાસકારોને સ્કીમના બાકીના સમયગાળા માટે વ્યાજની સમાનતા માટે આશરે 600 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવશે.
ADVERTISEMENT
મર્ચન્ટ એક્સર્પોટર્સ સહિતના નિકાસકારોને ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ હેઠળ શિપમેન્ટ પૂર્વે અને ત્યાર બાદના નિકાસધિરાણ માટે ત્રણ ટકા ઇક્વલાઇઝેશન રેટની છૂટ આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્ત ડિપાર્ટમેન્ટ ઑફ કૉમર્સની હતી.
આમ સ્કીમ હેઠળ 416 પ્રોડક્ટ્સ છે. એમાં કૃષિ, ટેક્સટાઇલ્સ, લેધર, હૅન્ડિક્રાફ્ટ અને મશીનરીનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ મુખ્યત્વે માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ બનાવવામાં માનવશ્રમ અધિક લાગે છે એમ અખબારી યાદીમાં જણાવાયું હતું.
મર્ચન્ટ એક્સર્પોટર્સનો સમાવેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે તેઓ વધુ સ્પર્ધાત્મક બની રહે અને તેમને MSME દ્વારા કરાતાં ઉત્પાદનોની નિકાસ કરવાનું ઉત્તેજન મળી રહે એમ યાદીમાં જણાવાયું હતું.
આ પણ વાંચોઃ EPFO એના મેમ્બર્સને શૅરોમાં રોકાણ વધારવાનો વિકલ્પ પૂરો પાડશે
વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુએ વારંવાર નિકાસધિરાણમાં થઈ રહેલા ઘટાડાનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. તેમણે એવું સૂચન કર્યું હતું કે બૅન્કો દ્વારા નિકાસકારોને કરાતા ધિરાણને અગ્રક્રમ ક્ષેત્રના ધિરાણ તરીકે ગણવું જોઈએ. નિકાસધિરાણમાં ઝડપી ઘટાડો થયો હતો એથી નિકાસકારોને, ખાસ કરીને MSME યુનિટ્સને અસર થઈ રહી હતી.