ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા
જેટ એરવેઝ
જેટ એરવેઝની સમસ્યા ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. જ્યાં એક તરફ કંપનીએ પોતાના વધારે વેતન મેળવનારા પાયલટને ફરજિયાત રજા પર મોકલવામા આવ્યા છે, તો બીજી તરફ તે કર્જનો હપ્તો જમા કરવાથી ચૂકી ગયા છે.
એસબીઆઇ, નરેશ ગોયલે ખરીદદારો સાથે વાતચીત શરૂ કરી
ADVERTISEMENT
જેટ એરવેઝના સૌથી મોટા ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેન્ક અને કંપનીના સંસ્થાપક નરેશ ગોયલે સંભાવિત ખરીદદારોથી વાતચીત શરૂ કરી દીધી છે. હાલમાં ટીપીજી કેપિટલ અને ડેલ્ટા એરલાઈન્સ આ રેસમાં સૌથી આગળ છે.
આ પણ વાંચો : ઇન્ફોસિસ ABN એમ્રોની સબસિડિયરીમાં 75 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે
પાયલટને નહીં મળે પગાર
જેટ એરવેઝના હાલમાં 124માંથી ફક્ત 35 વિમાન ઉડાન ભરી રહ્યા છે. એવામાં એણે પોતાના વિદેશી પાયલટ્સને ફરજિયાત રજા પર મોકલી દીધા છે. આ દરમિયાન તેમને પગાર નહીં મળે. આ પાયલટ 1 એપ્રિલથી સૂચના કોઈ સૂચના ન મળે ત્યા સુધી કામ પર નહીં આવે.