Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હોમ, ઑટો લોન સસ્તી થશે

હોમ, ઑટો લોન સસ્તી થશે

24 August, 2019 11:14 AM IST | નવી દિલ્હી

હોમ, ઑટો લોન સસ્તી થશે

હોમ, ઑટો લોન સસ્તી થશે


કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં વર્તાતી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે એફપીઆઇના કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.

સીતારમણે કહ્યું હતું કે મંદીની સમસ્યા માત્ર ભારતને જ નહીં, દુનિયાના અન્ય દેશોને પણ કનડી રહી છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે હજી પણ ચાલતી જ રહેશે. ભારતની આર્થિક વ્યવસ્થાને તેમણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ વધુ મજબૂત અને તરલ ગણાવી હતી.



વર્તમાન સરકારે લાગુ કરેલ આર્થિક સુધારાઓ અંગે તેમણે કહ્યું હતું કે ઈન્કમ ટૅક્સ રિટર્ન ભરવાનું અગાઉ કરતાં વધુ સરળ બન્યું છે. જીએસટીની પ્રક્રિયા હજી વધુ આસાન બનાવવામાં આવશે અને તેમાં રહેલી ખામીઓને ઝડપથી દૂર કરાશે. આ ઉપરાંત ૩૦ દિવસમાં જીએસટી રિફન્ડ પરત આપવાની વાત પણ તેમણે જણાવી હતી. ભારતના વિકાસદરને તેમણે સંતોષકારક ગણાવ્યો હતો.


સરકાર દ્વારા ટૅક્સના મુદ્દે હેરાનગતિ થતી હોવાના આક્ષેપને ખારિજ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, કરમાળખામાં સુધારાઓ થઈ રહ્યા છે. ટૅક્સ નોટિસ માટે સેન્ટ્રલાઈઝ્‌ડ સિસ્ટમ લાગુ થશે અને કોઈને એનાથી મુશ્કેલી નહીં રહે. ૧ ઑક્ટોબરથી આ સિસ્ટમ કાર્યરત થઈ જશે. એ પછી કોઈને હેરાનગતિ નહીં રહે.

ભારતીય અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસ તરીકે નાણાપ્રધાને કેપિટલ ગેઇન અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પરનો સરચાર્જ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે એમએસએમઇના અટકેલા જીએસટી રિફંડ ૩૦ દિવસમાં આપી દેવાની જાહેરાત કરી હતી.


આ ઉપરાંત તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨માં સુપર રિચ સરચાર્જની સમીક્ષા કરશે. સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કો માટે જે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી છૂટી કરવાની હતી તે પણ તાત્કાલિક ધોરણે આપી દેવાશે. દેશની અર્થવ્યવસ્થાને મજબૂત ઓપ આપવા રેપો રેટને જાહેર ક્ષેત્રની બૅન્કો દ્વારા અપાતા ધિરાણથી ડાયરેક્ટ લિન્ક કરવામાં આવશે જેથી લોન સસ્તી બનશે અને રેપો રેટ ઘટવાનો લાભ સીધો ગ્રાહકોને મળી રહેશે. કાર ખરીદવા અંગેનો સરકારી ડિપાર્ટમેન્ટ પરનો પ્રતિબંધ પણ તેમણે હટાવી દેવાનું જણાવ્યું હતું અને માર્ચ ૨૦૨૦ સુધી ખરીદનાર વાહનો પર ૧૫ ટકા ડેપ્રિશિએશનનો લાભ પણ મળી રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 11:14 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK