° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


નાફેડે દેશભરમાંથી આઠ હજાર ટન કાંદાની ખરીદી કરી

16 March, 2023 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાંથી હજી માત્ર ૯૨.૭૭ ટનની ખરીદી કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાફેડ દ્વારા કાંદાના નીચા ભાવ પર લગામ રાખવા માટે ફેબ્રુઆરી અંતથી કાંદાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ આઠ હજાર ટન કાંદાની ખરીદી કરવામાં આવી છે.
નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે ‘નાફેડ દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી કુલ ૮૦૪૨ ટન કાંદાની ખરીદી કરવામાં આવી છે અને એ પેટે કુલ ૨૨૪૭ ખેડૂતોને ૭૬૭.૫૨ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે.

મહારાષ્ટ્રમાંથી નાફેડે કુલ ૭૯૪૯.૨૪ ટનની ખરીદી કરી છે, જેની કિંમત ૭૫૯.૧૬ લાખ રૂપિયા થાય છે, જ્યારે ગુજરાતમાંથી હજી માત્ર ૯૨.૭૭ ટનની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત ૮.૩૬ લાખ રૂપિયા થાય છે.

આ પણ વાંચો: સરકારી સપોર્ટના અભાવે દેશમાં કાંદાના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ

નાફેડ દ્વારા કાંદાની ખરીદી કર્યા બાદ આ કાંદાને દિલ્હી, આસામ, બિહાર, કર્ણાટક, કેરલા, તામિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં મોકલવામાં આવે છે. સરકાર દ્વારા પહેલી વાર લેધટ ખરીફ લાલ કાંદાની ખરીદી કરવામાં આવી છે અને આ કાંદાની શેલ્ફ લાઈફ બહુ જ ઓછા દિવસ હોય છે, જેને પગલે સરકાર તેને ખરીદીને તરત જે વિસ્તારમાં કાંદા પાકતા નથી એ વિસ્તારમાં રવાના કરીને તેનો નિકાલ કરી રહી છે.

નાફેડ દ્વારા કાંદાની ખરીદી ચાલુ થવાને પગલે બજારો ઘટતાં અટક્યાં છે અને આગામી દિવસોમાં બજારો સુધરી પણ શકે છે. જોકે તેનો મોટો આધાર આવકો પર વધારે રહેલો છે.

16 March, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

સાંકડી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન રાખીને બજાર સીમિત સુધારામાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

ટીસીએસ પોણો ટકો સુધર્યો, ઇન્ફી નજીવો નરમ, વિપ્રો જૈસે-થે : આવકવેરાના દરોડામાં શોભા તૂટ્યો, સુલા વાઇન યાર્ડ‍્સને બાયનું રેટિંગ ફળ્યું : વીએસટી ટીલર્સમાં ૧૬૪ રૂપિયાનો ઉછાળો આવ્યો 

23 March, 2023 12:06 IST | Mumbai | Anil Patel

દેશની માત્ર ૨૪ ટકા કંપનીઓ જ સાઇબર સિક્યૉરિટી માટે સક્ષમ

સિસ્કો નામની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણ

22 March, 2023 04:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ઇકૉનૉમી ભારતીય અર્થતંત્રને નબળું નહીં પાડી શકે : રિઝર્વ બૅન્ક

કોવિડના રોગચાળામાં બહાર આવ્યું અને મજબૂત સ્થાનિક સ્થિતિની અસર

22 March, 2023 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK