Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > આનંદો: સેલરી મેળવનારાઓ માટે ખુશખબર!! EPFOએ 2023-24 માટે વધાર્યો વ્યાજદર

આનંદો: સેલરી મેળવનારાઓ માટે ખુશખબર!! EPFOએ 2023-24 માટે વધાર્યો વ્યાજદર

10 February, 2024 02:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.

EPFO માટે વાપરવામાં આવેલી ફાઈલ તસવીર

EPFO માટે વાપરવામાં આવેલી ફાઈલ તસવીર


માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.


EPFO fixes interest rate: દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.



શનિવારે CBTની બેઠકમાં લેવાયો આ નિર્ણય
માર્ચ 2022 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકા કરતાં ઓછો છે. આ 1977-78 પછી સૌથી નીચો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT), EPFO ​​માં નિર્ણય લેતી સંસ્થા, શનિવારે યોજાયેલી તેની બેઠકમાં, 2023-24માં કર્મચારી ભવિષ્ય નિધિ માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. સીબીટીએ માર્ચ 2021માં EPFO પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કર્યો હતો. (EPFO fixes interest rate)


EPFO fixes interest rate: જાન્યુઆરીમાં, EPFOએ જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિ એ વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન છે. આ હેઠળ, કર્મચારીના પગારના 12 ટકા માસિક ધોરણે EPF ખાતામાં જમા થાય છે અને તે જ યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે અને બાકીના 8.33 ટકા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે.

નોંધનીય છે કે વ્હેલ દ્વારા બીટકૉઇન વધુ ભેગો કરાવા લાગ્યો હોવાથી વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વૃદ્ધિનું વલણ આગળ વધ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩.૦૫ ટકા (૧૭૫૧ પૉઇન્ટ) વધીને ૫૯,૧૪૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૭,૩૯૨ ખૂલીને ૫૯,૪૧૭ની ઉપલી અને ૫૭,૧૧૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સની વૃદ્ધિમાં ૨થી ૫ ટકાની રેન્જમાં વધેલા બીટકૉઇન, સોલાના, લાઇટકૉઇન અને બીએનબીનો મોટો હિસ્સો હતો. ચેઇનલિન્ક અને ટોનકૉઇન અનુક્રમે ૨.૭૫ ટકા અને ૦.૪૧ ટકા ઘટ્યા હતા.


માર્ગદર્શિકા જાહેર કરનારી પ્રથમ હાઉસિંગ રેગ્યુલેટરી સંસ્થા મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (મહારેરા)એ નિવૃત્ત અને વરિષ્ઠ નાગરિકો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ તેમની મૂળભૂત આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે એની ખાતરી કરવા માટે ડ્રાફ્ટ મૉડલ માર્ગદર્શિકા બહાર પાડી છે. મહારેરાના આ પગલાથી એને નિવૃત્ત લોકો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટેની જોગવાઈઓ જાહેર કરનારી ભારતની પ્રથમ હાઉસિંગ રેગ્યુલેટરી સંસ્થા બનાવે છે. વરિષ્ઠ નાગરિકો આવા હાઉસિંગના પ્રોજેક્ટ્સમાં સ્થળાંતર કરે ત્યાર બાદ તેમને જરૂરી બધી સુવિધાઓ આવા પ્રોજેક્ટ્સમાં હોવી જોઈએ એ સુનિશ્ચિત કરવાનો મહારેરાનો હેતુ છે.  

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK