Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અદાણી ગ્રુપે એસબીઆઇ માટે વધુ શૅર ગીરવી મૂક્યા

અદાણી ગ્રુપે એસબીઆઇ માટે વધુ શૅર ગીરવી મૂક્યા

14 February, 2023 04:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણી પોર્ટ્સ, ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી કંપનીના શૅર ગીરવી મૂક્યા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) માટે વધારાના શૅરો ગીરવી મૂક્યા છે. સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ અમેરિકન શૉર્ટ-સેલર દ્વારા એના બજારમૂલ્યમાં ૧૦૦ અબજ ડૉલરથી વધુનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: નૉર્વેના વેલ્થ ફન્ડે પણ અદાણી ગ્રુપમાં પોતાનો હિસ્સો વેચ્યો



અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીએ ભારતના સૌથી મોટા ધિરાણકર્તા એસબીઆઇના એકમ, એસબીઆઇ કૅપ ટ્રસ્ટી કંપની પાસે શૅર ગીરવી મૂક્યા છે.


અદાણી પોર્ટ્સના ૭૫ લાખ જેટલા વધુ શૅર ગીરવી મૂકવામાં આવ્યા છે, જે એસબીઆઇ કૅપ સાથેના તમામ શૅરના કુલ એક ટકા સુધી લઈ જશે. અદાણી ગ્રીનના કિસ્સામાં ૬૦ લાખ વધુ શૅર ગીરવી મૂક્યા છે. અદાણી ટ્રાન્સમિશનના ૧૩ લાખ વધુ શૅર ગીરવી મૂકીને કુલ ૦.૫૫ ટકા હિસ્સો થાય છે એમ ફાઇલિંગ દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK