Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૬૨૮ કરોડ રૂપિયાની લોન મંજૂર

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૬૨૮ કરોડ રૂપિયાની લોન મંજૂર

Published : 22 April, 2022 03:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના મહામારી બાદ ૩૨ લાખ નાના વર્ગને આજીવિકા માટે લોન આપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ યોજના (પીએમ સ્વનિધિ) હેઠળ ૩૨ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સની લગભગ ૩૬૨૮ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. સિવિલ સર્વિસ ડે નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં નાણાકીય સેવા વિભાગના સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે યોજના હેઠળ ૩૧.૧૯ લાખ લાભાર્થીઓને ૩૨૨૮ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી પછી સ્ટ્રીટ વેન્ડર્સને તેમની આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે મદદ મળી રહે એ માટે મે ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે પીએમ સ્વનિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. સ્કીમ મુજબ વિક્રેતા ૧૦,૦૦૦ રૂપિયા સુધીની વર્કિંગ કૅપિટલ લોન મેળવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2022 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK