![વિલે પાર્લેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા મંડળે યોજ્યો કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/voice_of_mumbai/inbound2654993562078244738.jpg)
શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા મંડળ પાર્લા આયોજીત કારકિર્દી માર્ગદર્શનનું આયોજન 21 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ આ માર્ગદર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એક્સપર્ટ્સ દ્વારા કયા પ્રવાહમાં ભણ્યા બાદ કયા કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે તેની કેળવણી અને સમજ આપવામાં આવી હતી. નવા કરિયર ઓપશન્સથી માંડીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.