....તો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે ટેસ્ટ રમી શક્યો હોત : વસીમ જાફર
વસીમ જાફર
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વસીમ જાફરનું કહેવું છે કે જો ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમ માટે હું સતત સારો પર્ફોર્મન્સ આપી શક્યો હોત તો કદાચ ૧૦૦થી પણ વધારે ટેસ્ટ મૅચ રમી શક્યો હોત. આ વિશે વાત કરતાં વસીમ જાફરે કહ્યું કે ‘હું જોઈએ એવો સારો પર્ફોર્મન્સ આપી નહોતો શક્યો. જો હું એવું કરી શક્યો હોત તો કદાચ ૧૦૦થી પણ વધારે ટેસ્ટ મૅચ રમી શક્યો હોત. હું સતત સારો પર્ફોર્મન્સ નહોતો આપી શક્યો માટે મને ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. હું મારા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરીઅર માટે ફેમસ છું. ખરું કહું તો ૨૦૧૨-’૧૩માં જ્યારે શિખર ધવન સિલેક્ટ થયો હતો ત્યારે હું પણ સિલેક્ટ થનારા દાવેદારોમાં એક પ્રબળ દાવેદાર હતો. મારી સાથે આવું અનેક વાર બન્યું છે, જ્યાં હું પ્રબળ દાવેદાર હોવા છતાં એમાં સ્થાન નથી પામી શક્યો. મારી સાથે આવું કેમ થયું એનો જવાબ સિલેક્ટરો આપી શકે.’