Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી જીતવા માગે છે અને એ માટે તે ઘણો ગંભીર છે : નાસિર હુસેન

કોહલી જીતવા માગે છે અને એ માટે તે ઘણો ગંભીર છે : નાસિર હુસેન

20 June, 2020 07:09 PM IST | New Delhi
Agencies

કોહલી જીતવા માગે છે અને એ માટે તે ઘણો ગંભીર છે : નાસિર હુસેન

નાસિર હુસેન

નાસિર હુસેન


ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને પોતાના સમયમાં સૌરવ ગાંગુલી સાથે રમ્યો હતો એ દિવસોને યાદ કર્યા હતા અને તેને એક સારો કૅપ્ટન ગણાવ્યો હતો. ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે અદ્ભુત પરિવર્તન આણ્યું હતું. ગાંગુલી ઉપરાંત તેણે વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી છે. હુસેને કહ્યું કે ‘સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને એક મજબૂત ટીમ બનાવી હતી. તે જ્યારે ભારતીય ટીમની કૅપ્ટન્સી કરતો હતો ત્યારે તેણે ભારતીય ક્રિકેટમાં એક પ્રકારની ધગશ પેદા કરી હતી અને એ માટે મને તેની પ્રત્યે માન છે. વિરાટ કોહલીની વાત કરો તો તે ઘણો આક્રમક ક્રિકેટર છે. તે જ્યારે મેદાન પર હોય છે ત્યારે તેને હંમેશાં જીતવાનું મન હોય છે અને એ માટે તે ઘણો ગંભીર હોય છે. ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમમાં પણ ઇયાન મૉર્ગને સારી એવી છાપ બનાવી છે. એ ઉપરાંત જૉસ બટલર, જૉની બેરસ્ટો અને જેસન રૉય જેવા પ્લેયર પણ સારું પર્ફોર્મ કરી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2020 07:09 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK