ICC ઇવેન્ટમાં જવા માટે ટીમ પાસે સારી યોજના હોવી જરૂરી છે : ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણ
ભારતના ભૂતપૂર્વ પ્લેયર ઇરફાન પઠાણનું કહેવું છે કે આઇસીસી ઇવેન્ટમાં જવા માટે ટીમ ઇન્ડિયા પાસે સારી યોજના હોવી જરૂરી છે. વિગતવાર વાત કરતાં પઠાણે કહ્યું કે ‘તમે ૨૦૧૯ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જુઓ તો એનું પ્લાનિંગ સાવ ખરાબ હતું. મારા ખ્યાલથી ટીમને વધારે સારા પ્લાનિંગની જરૂર છે. આપની પાસે સાધનો છે, પ્લેયર છે, ફિટનેસ છે. વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે આપણી પાસે બધું જ છે. ફક્ત તકલીફ આપણને નંબર-ચાર પર કયો પ્લેયર રમશે એની છે, જે વર્લ્ડ કપ પહેલાં પણ હતી. એક પ્રોપર ૧૧ પ્લેયરની ટીમ માટે આપણે ઝંખી રહ્યા છીએ. મારા ખ્યાલથી આપણે એ વાતની પુષ્ટિ કરી લેવી જોઈએ કે આઇસીસી ઇવેન્ટ કે વર્લ્ડ કપમાં જવા માટે આપણી પાસે સારું પ્લાનિંગ છે કે નહીં.’
નોંધનીય છે કે ૨૦૧૯માં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતે ન્યુ ઝીલૅન્ડના હાથે પરાજય વેઠવો પડ્યો હતો.