Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયર મુંબઈનો કૅપ્ટન, પૃથ્વી વાઇસ કૅપ્ટન, અર્જુન આઉટ

શ્રેયસ ઐયર મુંબઈનો કૅપ્ટન, પૃથ્વી વાઇસ કૅપ્ટન, અર્જુન આઉટ

11 February, 2021 11:14 AM IST | Mumbai

શ્રેયસ ઐયર મુંબઈનો કૅપ્ટન, પૃથ્વી વાઇસ કૅપ્ટન, અર્જુન આઉટ

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


ઇન્જરીને લીધે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ગુમાવનાર શ્રૈયર ઐયર ફિટ થઈને ફરી મુંબઈ ટીમ સાથે જોડાઈ જતાં તેને ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફી માટે ફરી ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓપનર પૃથ્વી શૉને વાઇસ-કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ગઈ કાલે જાહેર થયેલા બાવીસ ખેલાડીઓની ટીમમાં શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે જેવા યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે, પણ સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને ડ્રૉપ કરવામાં આવ્યો છે. અર્જુન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો.

arjun-tendulkar



આ ટુર્નામેન્ટમાં મુંબઈને દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરી સાથે ગ્રુપ ‘ડી’માં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમની બધી જ મૅચો જયપુરમાં રમાશે. ટુર્નામેન્ટમાં મુંબઈના હેડ કોચ તરીકે ભૂતપૂર્વ ઑફ સ્પિનર રમેશ પોવારનો નિયુક્ત કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 11:14 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK