Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

17 October, 2019 02:12 PM IST | નવી દિલ્હી

બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર


વર્લ્ડ કપ ૨૦૧૯માં બાઉન્ડરી કાઉન્ટના નિયમને આધારે યજમાન ટીમ ઇંગ્લૅન્ડને વિજેતા ઘોષિત કરાઈ હતી જેના બાદ આ નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. તાજેતરમાં આઇસીસીએ આ બાઉન્ડરી રૂલના નિયમને હટાવી દીધો છે અને માસ્ટ બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આ નિર્ણયનું સ્વાગત કરતાં એને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. 

તેન્ડુલકરે કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી જ્યારે બે ટીમમાંથી કોઈને અલગ નથી કરી શકાતી ત્યારે પરિણામ પર પહોંચવા માટેનું આ ઘણું મહત્વનું છે.’



આ પણ વાંચો : હું પણ‌ બીજા બધાના જેવો જ છું બસ, મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું : ધોની


 

નોંધનીય છે કે આઇસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ૨૬ બાઉન્ડરી મારી હોવાથી એને વિશ્વ કપ વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. યજમાનને ઘરઆંગણે જબરદસ્ત ટક્કર આપનાર ન્યુ ઝીલૅન્ડે મૅચમાં ૧૭ બાઉન્ડરી મારી હતી.
આઇસીસીએ આ નિયમને રદ કરતાં કહ્યું હતું કે ‘ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઇ થાય તો મૅચ પણ ટાઇ થયેલી ગણાશે. જોકે સેમી ફાઇનલ અને ફાઇનલમાં વિરોધી ટીમ કરતાં વધારે રન કરી જીતી શકે એ માટે એક્સ્ટ્રા સુપર ઓવર આપી ટીમને જીતવા માટે એક તક આપવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 02:12 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK