આજે મોહાલીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન-ડે
વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત
રાંચી વન-ડેમાં ૩૨ રનથી પરાજય છતાં સિરીઝમાં ૨-૧ની લીડ ધરાવતું ભારત આજે મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ કબજે કરવા ઊતરશે. પ્રવાસી ટીમે સિરીઝની ત્રણેય મૅચમાં જબરદસ્ત ટક્કર આપી હતી. ત્રીજી વન-ડેમાં ૩૧૪ રનના ટાર્ગેટ સામે ભારતે ૩ વિકેટ જલદી ગુમાવી હતી. ટીમ-મૅનેજમેન્ટ ઇચ્છશે કે ટૉપ-ઑર્ડર ફરીથી સારું પર્ફોર્મ કરે. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીને કારણે આજની મૅચમાં રિષભ પંત પાસે ફક્ત બૅટથી નહીં, પણ ગ્લવ્ઝથી ઇમ્પ્રેસ કરવાનો ચાન્સ રહેશે.
પ્લેઇંગ ઇલેવનમાં ભુવનેશ્વર કુમાર મોહમ્મદ શમીની જગ્યાએ પાછો ફરશે, કારણ કે તેને રાંચીમાં પગમાં ઈજા થઈ હતી. કોહલીએ મીડિયાને કહ્યું હતું કે ‘છેલ્લી બે મૅચમાં થોડા ફેરફાર કરવામાં આવશે છતાં મેં ખેલાડીઓને કહ્યું હતું કે દરેકે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ આપવાનો રહેશે અને ખેલાડીઓ ટૉપ-ફૉર્મ સાથે ઇંગ્લૅન્ડની ફ્લાઇટ પકડવા કૉન્ફિડન્ટ છે.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IND VS AUS:ભારતીય ટીમના આર્મી કેપ પહેરવા પર પાકિસ્તાનનો વિરોધ
ભારતના બૅટ્સમેનોએ ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પાથી સાવચેત રહેવું પડશે, કારણ કે તેણે આ સિરીઝમાં ઘણા રન આપ્યા છે, પણ બે વખત ધોની અને કોહલીને આઉટ કર્યા હતા. પ્રવાસી ટીમના ઓપનરોએ રાંચીમાં ભારતના બોલરોને વિકેટ લેવા માટે ૩૧.૫ ઓવર સુધી હંફાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ ૨૪મી વન-ડેમાં મેઇડન સેન્ચુરી ફટકારી હતી, જ્યારે કૅપ્ટન ઍરોન ફિન્ચે આક્રમક ૯૩ રન બનાવીને શાનદાર શરૂઆત કરાવી હતી.