ઑસ્ટ્રેલિયાની ટૂર માટે મેં મારી તૈયારી શરૂ કરી છે : કુલદીપ યાદવ
કુલદીપ યાદવ
વર્ષના અંતમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ યોજાવાની છે એવામાં કુલદીપ યાદવે કહ્યું કે મેં આ સિરીઝ માટે મારી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વિશે એક ચૅટ-શોમાં વાત કરતાં યાદવે કહ્યું કે ‘ઘણી વાર બ્રેક લેવાથી મગજ રીફ્રેશ થઈ જાય છે. ત્રણ-ચાર મહિના બાદ અમે ફરીથી ટ્રેઇનિંગ શરૂ કરી રહ્યા છીએ. નવી ઇનિંગની જેમ આ પણ નવી શરૂઆત છે. મારા ખ્યાલથી પોતાની જાતને આગળ વધારવા માટે આ સારો સમય છે, કારણ કે લોકો હાલમાં પ્રવેશ નથી કરી રહ્યા. બ્રેક ઘણો જરૂરી છે. ગયા વર્ષે તમે જે બોલિંગ કરી અને પ્લાનિંગ કર્યું એનાથી તમે ઘણું શીખી શકો છો. દર વખતે તમારે સમય કાઢીને પ્લાનિંગ સાથે આગળ આવવાનું હોય છે. આ વર્ષે યોજાનારી ઑસ્ટ્રેલિયા ટૂર માટે મેં મારી તૈયારી શરૂ કરી છે. ૨૦૧૯નું વર્ષ સારું રહ્યું હોવાથી હું ઘણો હેરાન થયો હતો. જ્યારે તમે અન્ય બોલરને વિકેટ લેતો જુઓ છો અને તમે વિકેટ નથી લઈ શકતા ત્યારે તમને તમારી સ્કિલ પર ડાઉટ જાય છે. મેં ભારતના બોલિંગ-કોચ ભારત અરુણ સાથે પણ વાત કરી હતી અને તેમણે પછી મને કૉન્ફિડન્સ અપાવ્યો હતો.’