Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રૈના અને ધોની માટે શું ઇચ્છા રાખે છે રોહિત શર્મા?

રૈના અને ધોની માટે શું ઇચ્છા રાખે છે રોહિત શર્મા?

14 May, 2020 11:56 AM IST | New Delhi
Agencies

રૈના અને ધોની માટે શું ઇચ્છા રાખે છે રોહિત શર્મા?

રોહિત શર્મા

રોહિત શર્મા


ભારતીય ક્રિકેટ ટીમના બૅટ્સમૅન રોહિત શર્મા ઇચ્છે છે કે સુરેશ રૈના જે લાંબા સમયથી ટીમની બહાર છે તે ગમે એમ કરીને પોતાનું સ્થાન પાછો મેળવે અને સાથે-સાથે મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમમાં પાછો રમવા આવે. સુરેશ રૈના અને રોહિત શર્માએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વિડિયો ચેટિંગ કરી હતી. આ દરમ્યાન રોહિતે કહ્યું કે ‘હું જાણું છું કે આટલાં વર્ષો દેશ માટે રમ્યા બાદ અચાનક બહાર રહેવું પડે તો કેવો અનુભવ થાય છે. અમે ટીમમાં હંમેશાં વાતચીત કરતા હોઈએ છીએ કે ટીમમાં સુરેશ રૈનાની જરૂરત છે, કારણ કે તે અનુભવી અને સક્ષમ પ્લેયર છે. અમે તને ઘણા વખત રમતા જોયો છે. અમે બસ એ જ ઇચ્છીએ છીએ કે તું ગમે એમ કરીને ટીમમાં પાછો આવ.’

રોહિત શર્માના આ વાક્યના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું કે ‘મારે ઇન્જરી અને સર્જરીને લીધે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું જેને લીધે મેં મારું સ્થાન પણ ગુમાવ્યું. ખરું કહું તો હજી પણ મારામાં ક્રિકેટ રમવાની ક્ષમતા બચી છે. આપણા હાથમાં માત્ર પર્ફોર્મન્સ છે, સિલેક્શન નહીં. અમે જ્યારે યુવાન હતા ત્યારે અમારા કૅપ્ટને અમને ઘણો જ સપોર્ટ કર્યો હતો.’



આ ઉપરાંત બન્ને પ્લેયરોએ મહેન્દ્ર સિંહ ધોની વિશે પણ વાત કરી હતી. સુરેશ રૈના મહેન્દ્ર સિંહ ધોની સાથે ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમી રહ્યો હોવાથી તે ધોનીને મળ્યો હતો. રૈનાના જણાવ્યા પ્રમાણે ધોની સંપૂર્ણપણે ફિટ છે અને તેનામાં પણ ક્રિકેટ રમવાની ક્ષમતા હજી બચી છે. એમ છતાં ધોની પોતાની શું પ્લાનિંગ છે એ તો માત્ર તે જ જાણે છે. તેમ છતાં રૈના અને રોહિત બન્ને ઇચ્છે છે કે ધોની ટીમમાં વાપસી કરે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 11:56 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK