Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની મેચ હવે કઝાખસ્તાનમાં રમાશે

ભારત-પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની મેચ હવે કઝાખસ્તાનમાં રમાશે

19 November, 2019 03:45 PM IST | Mumbai

ભારત-પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની મેચ હવે કઝાખસ્તાનમાં રમાશે

ડેવિસ કપ

ડેવિસ કપ


ભારતીય ટેનિસ ફેડરેશને ડેવિસ કપની પાકિસ્તાનમાં રમવા માટે ઇનકાર કર્યો હતો. જેને પગલે હવે આ મેચ ઇસ્લામાબાદની જગ્યાએ કઝાખસ્તાનની રાજધાની નુરસુલ્તાનમાં રમાશે. આ મેચ 29 અને 30 નવેમ્બરના રોજ રમાશે. ઓલ ઇન્ડિયા ટેનિસ ફેડરેશનના સીઈઓ અખુરી બિશ્વદીપે મંગળવારે આ જાણકારી આપી હતી. ATFએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોતા 4 નવેમ્બરે આ માંગ કરી હતી. ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને આનો ત્યારે જ સ્વીકાર કર્યો હતો, પરંતુ જગ્યા નક્કી કરી ન હતી.




આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભારતના શ્રદ્ધાળએ પાક.માં સુરક્ષા વગર આવી શકે તો ખેલાડી રમવા કેમ નહીં : પાક. ટેનિસ ફેડરેશન
પાકિસ્તાન ટેનિસ ફેડરેશને આ કેસ અંગે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સામે પિટિશન ફાઈલ કરી છે. તેમણે કહ્યું છે કે, જો ભારતીય શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષા વગર આવી શકે છે તો ખેલાડીઓ ઇસ્લામાબાદ રમવા માટે કેમ આવી શકતા નથી. તે સાથે જ પાકિસ્તાની ટેનિસ સ્ટાર એસ કુરેશીએ ભારતની માંગ મંજુર કરવામાં આવતા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સુરક્ષાના લીધે મહેશ ભૂપતિ, રોહન બોપન્ના, રાજકુમાર રામનાથન, સુમિત નાગલ સહિત ઘણા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી હતી. મેચ પાકિસ્તાનથી શિફ્ટ થઇ હોવાથી હવે તેઓ રમે તેવી સંભાવના પ્રબળ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 03:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK