ભારત-પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની મેચ હવે કઝાખસ્તાનમાં રમાશે
ડેવિસ કપ
ભારતીય ટેનિસ ફેડરેશને ડેવિસ કપની પાકિસ્તાનમાં રમવા માટે ઇનકાર કર્યો હતો. જેને પગલે હવે આ મેચ ઇસ્લામાબાદની જગ્યાએ કઝાખસ્તાનની રાજધાની નુરસુલ્તાનમાં રમાશે. આ મેચ 29 અને 30 નવેમ્બરના રોજ રમાશે. ઓલ ઇન્ડિયા ટેનિસ ફેડરેશનના સીઈઓ અખુરી બિશ્વદીપે મંગળવારે આ જાણકારી આપી હતી. ATFએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોતા 4 નવેમ્બરે આ માંગ કરી હતી. ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને આનો ત્યારે જ સ્વીકાર કર્યો હતો, પરંતુ જગ્યા નક્કી કરી ન હતી.
India vs Pakistan Davis Cup Match Updates: ITF Nur-Sultan for India and Pakistan Tennis Match | Kazakhstan was shifted after India objected to playing in Pakistan https://t.co/hQQJauKG9k pic.twitter.com/Sl1Id75pab
— news informer (@newsinformer3) November 19, 2019
ADVERTISEMENT
આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...
ભારતના શ્રદ્ધાળએ પાક.માં સુરક્ષા વગર આવી શકે તો ખેલાડી રમવા કેમ નહીં : પાક. ટેનિસ ફેડરેશન
પાકિસ્તાન ટેનિસ ફેડરેશને આ કેસ અંગે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સામે પિટિશન ફાઈલ કરી છે. તેમણે કહ્યું છે કે, જો ભારતીય શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષા વગર આવી શકે છે તો ખેલાડીઓ ઇસ્લામાબાદ રમવા માટે કેમ આવી શકતા નથી. તે સાથે જ પાકિસ્તાની ટેનિસ સ્ટાર એસ કુરેશીએ ભારતની માંગ મંજુર કરવામાં આવતા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સુરક્ષાના લીધે મહેશ ભૂપતિ, રોહન બોપન્ના, રાજકુમાર રામનાથન, સુમિત નાગલ સહિત ઘણા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી હતી. મેચ પાકિસ્તાનથી શિફ્ટ થઇ હોવાથી હવે તેઓ રમે તેવી સંભાવના પ્રબળ છે.