Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા

હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા

21 October, 2018 05:56 AM IST |

હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા

 હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા


rayudu kohli



આજથી શરૂ થતી નબળી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આવતા વર્ષના વર્લ્ડ કપમાં ભારતના મિડલ ઑર્ડર બૅટ્સમેનો કયા હશે અને ખાસ કરીને નંબર ચારની પોઝિશન પર કોણ બૅટિંગ કરશે એ નક્કી થશે. વિરાટ કોહલીએ મૅચના એક દિવસ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘નંબર ચારના સ્લૉટ પર ઘણા દિવસોથી પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, પણ કોઈ ખેલાડી આ પોઝિશન પર નિયમિત રીતે રન બનાવી શક્યો નથી. જોકે અંબાતી રાયુડુએ આ પોઝિશન પર એશિયા કપમાં સારા રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ પહેલાં આ પોઝિશન પર તે સારોએવો સમય વિતાવશે તો વર્લ્ડ કપ સુધી સેટ થઈ જશે. અમને લાગે છે કે રાયુડુ નંબર ચાર માટે શ્રેષ્ઠ બૅટ્સમૅન છે. તે આ પોઝિશન પર સ્ટેટ વતી અને ત્ભ્ન્માં ઘણી મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો છે.’




આ પણ વાંચોઃ પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે મેળવ્યો સૌથી મોટો વિજય



આજથી શરૂ થતી વન-ડે સિરીઝ સહિત ભારત વર્લ્ડ કપ પહેલાં ૧૮ વન-ડે રમશે. એશિયા કપમાં કોહલીની ગેરહાજરીમાં રાયડુએ નંબર ત્રણના સ્થાન પર ૬ ઇનિંગ્સમાં ૪૩.૭૫ની ૧૭૫ રન બનાવીને નંબર ચાર પોઝિશન માટે પોતાનું નામ પાકું કરી લીધું હતું. નંબર ૫, ૬ અને ૭ પોઝિશન તૈયાર છે. જો ઓપનરો ૪૦ ઓવર સુધી બૅટિંગ કરી જાય તો મારી જગ્યાએ કોઈ હાર્ડ-હિટરને મોકલવો યોગ્ય કહેવાશે. ૧૨ સદસ્યની જાહેર કરવામાં આવેલી ટીમમાં ખલીલ અહમદ અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા કપમાં વન-ડે ડેબ્યુ કરનારો ખલીલ બન્ને તરફ સ્વિંગ કરી શકે છે અને તેને સારો બાઉન્સ પણ મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2018 05:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK