સિલેક્ટરો એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં ટીમનું સિલેક્શન કરી લેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકા (USA) અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવે એવી શક્યતા છે. ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ પહેલી મે છે અને ત્યાર બાદ પચીસમી મે સુધી ટીમમાં ફેરફાર કરવાની પણ છૂટ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડનાં સૂત્રોના અહેવાલ પ્રમાણે સિલેક્ટરો એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં ટીમનું સિલેક્શન કરી લેશે. ત્યાં સુધીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અડધી સીઝન પૂરી થઈ ગઈ હશે અને સિલેક્ટરોને ખેલાડીઓનાં ફૉર્મ અને ફિટનેસનો અંદાજ પણ આવી ગયો હશે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓનો પહેલો બૅચ લીગ રાઉન્ડના તરત બાદ ૧૯ મેએ ન્યુ યૉર્ક જવા રવાના થશે. આ બૅચમાં એ ખેલાડીઓનો સમાવેશ હશે જેમની ટીમ પ્લે-ઑફ માટે ક્વૉલિફાય નહીં થઈ હોય.
ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમ સાથે અમુક સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ પણ મોકલે એવી શક્યતા છે, કેમ કે સિલેક્ટ થયેલા ખેલાડીઓમાંથી કોઈ ઇન્જર્ડ થયું અને કોઈક કારણસર ખસી ગયું તો તેમનું રિપ્લેસમેન્ટ તરત જ ઉપલબ્ધ થઈ શકે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)