Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન-શ્રીલંકા ૬ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે

પાકિસ્તાન-શ્રીલંકા ૬ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે

Published : 11 November, 2025 11:50 AM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકા પાકિસ્તાન સામે છેલ્લે ૨૦૧૪માં જીત્યું હતું વન-ડે સિરીઝ

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ


રાવલપિંડીમાં આજથી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝ શરૂ થશે. ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યાથી ત્રણેય વન-ડે મૅચ રાવલપિંડીમાં રમાશે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ઑક્ટોબર ૨૦૧૯માં વન-ડે સિરીઝ રમાઈ હતી. છેલ્લાં ૬ વર્ષમાં બન્ને ટીમ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં જ આ ફૉર્મેટની મૅચ રમી છે.

બન્ને ટીમ વચ્ચે ૧૫૭ મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને ૯૩ અને શ્રીલંકાએ ૫૯ મૅચ જીતી છે. એક મૅચ ટાઇ અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી પાકિસ્તાન ૧૪ અને શ્રીલંકા માત્ર ૬ સિરીઝ જીત્યું છે. શ્રીલંકાએ પાકિસ્તાનમાં રમેલી આઠમાંથી ૩ સિરીઝ જીતી છે. પાકિસ્તાનમાં આ હરીફ ટીમે છેલ્લે જાન્યુઆરી ૨૦૦૯માં વન-ડે સિરીઝ જીતી હતી. ઓવરઑલ શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લે ૨૦૧૪માં વન-ડે સિરીઝમાં માત આપી હતી. ત્યાર બાદ રમાયેલી ત્રણ વન-ડે સિરીઝ પર પાકિસ્તાને કબજો કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2025 11:50 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK