Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોની મુંબઈના ઑર્થોપેડિક્સને મળશે

ધોની મુંબઈના ઑર્થોપેડિક્સને મળશે

01 June, 2023 12:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીએસકેની ટીમે મોટું સેલિબ્રેશન કર્યું જ નહીં

એમ. એસ. ધોની આખી સીઝનમાં ડાબા ઘૂંટણથી પરેશાન હતો

એમ. એસ. ધોની આખી સીઝનમાં ડાબા ઘૂંટણથી પરેશાન હતો


મુંબઈ ઇન્ડિયન્સની જેમ આઇપીએલનાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો સુકાની એમ. એસ. ધોની આખી સીઝનમાં ડાબા ઘૂંટણથી પરેશાન હતો અને ટ્રોફી જીત્યા બાદ તે રિટાયરમેન્ટ જાહેર કરી દેશે એવી સૌકોઈની ધારણા હતી, પરંતુ તેણે એ નિર્ણય પાછો ઠેલીને છ-સાત મહિનામાં ક્રિકેટના મેદાન પરનું પોતાનું ભાવિ નક્કી કરવાની જાહેરાત કરી છે. સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ધોની ડાબા ઘૂંટણ બાબતમાં મુંબઈના સ્પોર્ટ્સ ઑર્થોપેડિક્સની સલાહ લેશે. માહી તેમની મેડિકલ ઍડ્વાઇસ લીધા પછી નિર્ણય લેશે. તેણે સર્જરી કરાવવી પડશે કે નહીં એ પણ તેના પૂરા રિપોર્ટ્‍સ આવ્યા પછી જ નક્કી થશે.’ સીએસકેની ટીમે પાંચમા ટાઇટલ બદલ કોઈ મોટો સેલિબ્રેશન પ્લાન કર્યો છે? એવા સવાલના જવાબમાં વિશ્વનાથને કહ્યું કે ‘કોઈ મોટું સેલિબ્રેશન નથી થયું અને થશે પણ નહીં. ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ અમદાવાદથી જ પોતપોતાના મુકામ માટે રવાના થઈ ગયા હતા. અમે (સીએસકે) ક્યારેય મોટા પાયે સેલિબ્રેશન કરતા જ નથી.’

15
ધોનીને સીએસકેનું ફ્રૅન્ચાઇઝી એક સીઝનના આટલા કરોડ રૂપિયા આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK