Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નબળા પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સથી અલગ થયા હેડ કોચ ચંદુ સર

નબળા પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સથી અલગ થયા હેડ કોચ ચંદુ સર

Published : 30 July, 2025 01:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના અમૂલ્ય યોગદાન માટે આભારી છીએ. તેના નેતૃત્વ અને શિસ્તે ટીમ પર અમીટ છાપ છોડી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.

ચંદ્રકાન્ત પંડિત

ચંદ્રકાન્ત પંડિત


IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ગઈ કાલે હેડ કોચ ચંદ્રકાન્ત પંડિતની વિદાયની જાહેરાત કરી હતી. ૨૦૨૩થી આ ટીમ સાથે જોડાયેલા ચંદુ સર નામે જાણીતા આ કોચ માટે KKRએ સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘ચંદ્રકાન્ત પંડિતે નવી તકો શોધવાનું નક્કી કર્યું છે અને તે આ ટીમના હેડ કોચ તરીકે ચાલુ રહેશે નહીં. અમે તેમના અમૂલ્ય યોગદાન માટે આભારી છીએ. તેના નેતૃત્વ અને શિસ્તે ટીમ પર અમીટ છાપ છોડી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.’

૨૦૨૩માં કલકત્તા સાતમા સ્થાને રહ્યું, ૨૦૨૪માં ચૅમ્પિયન બન્યું, પણ ૨૦૨૫ની સીઝનમાં નબળા પ્રદર્શનને કારણે ટીમ આઠમા ક્રમે રહી હતી. મુંબઈમાં જન્મેલા ચંદ્રકાન્ત પંડિતે ૧૯૮૬થી ૧૯૯૨ વચ્ચે ભારત માટે પાંચ ટેસ્ટ-મૅચ અને ૩૬ વન-ડે મૅચ રમી હતી. ૬૩ વર્ષનો આ કોચ પહેલાં મુંબઈ, વિદર્ભ અને મધ્ય પ્રદેશની ડોમેસ્ટિક ટીમને કોચિંગ આપી ચૂક્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2025 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK