‘કૂલ કૅપ્ટન’ તરીકે જાણીતા ચેન્નઈના લેજન્ડરી કૅપ્ટને કહ્યું કે ‘હું મારા દરેક ખેલાડીને કહેતો હોઉં છું કે ફીલ્ડિંગ દરમ્યાન મારા પર જ નજર રાખજો’

૨૦૦૮ની પ્રથમ આઇપીએલમાં અને હાલ ૨૦૨૩ની આઇપીએલમાં ધોની.
ધોનીએ ઍન્કર હર્ષા ભોગલેને કહ્યું કે ‘હું વારંવાર ફીલ્ડરની પૉઝિશન બદલતો હોઉં છું. ક્યારેક એક-બે ફુટ આગળ આવવા કહું તો ક્યારેક એક-બે ફુટ પાછળ જવા કે સાઇડ પર ખસવા કહું. આવું કરવામાં આવે તો કોઈ પણ ખેલાડી ખિજાઈ જાય. એટલે જ હું પોતાને એવો કૅપ્ટન ગણાવું છું કે જેના પર સાથી પ્લેયર્સને ચીડ ચઢે. જોકે આ બધું હું વિકેટ મળી શકે એ માટે તેમ જ ટીમની જરૂરિયાત માટે જ કરતો હોઉં છું. મારી અંદર એક પ્રકારનો અવાજ આવતો હોય છે અને એ અવાજ જ હું સાંભળું છું અને એ મુજબ નિર્ણય લઉં છું. હું ટીમના દરેક ખેલાડીને કહેતો હોઉં છું કે તે પોતાની નજર મારા પર જ રાખે. કૅચ છૂટશે તો હું કંઈ નહીં બોલું, પણ દરેકે નજર તો મારા પર જ રાખવી જોઈશે કે જેથી હું તેમનામાંથી કોઈની ફીલ્ડ પૉઝિશન બદલવા માગું તો તરત બદલી શકું.’
આઇપીએલને લીધે ખૂબ થાકી ગયો છું. હું ચાર મહિનાથી ઘરની બહાર છું. ૩૧ જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યો અને મારું કેટલુંક કામ પૂરું કર્યા પછી માર્ચથી એકધારી પ્રૅક્ટિસ કરતો હતો. - મહેન્દ્ર સિંહ ધોની