Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાયુડુની નિવૃત્તિ : કહ્યું, ‘હવે કોઈ યુ-ટર્ન નહીં’

રાયુડુની નિવૃત્તિ : કહ્યું, ‘હવે કોઈ યુ-ટર્ન નહીં’

29 May, 2023 08:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વર્ષ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ પછી નિર્ણય ફેરવી નાખ્યો હ

અંબાતી રાયુડુ

અંબાતી રાયુડુ


૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ વખતે ટીમ ઇન્ડિયામાં પોતાનો સમાવેશ ન થતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અંબાતી રાયુડુએ આઇપીએલમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સના આ બૅટરની છેલ્લી આઇપીએલ મૅચ છે. બે વર્ષ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ પછી નિર્ણય ફેરવી નાખ્યો હતો. જોકે આ હૈદરાબાદીએ ગઈ કાલે ટ‍્વિટર પર જણાવ્યું હતું કે ‘આ વખતે હું રિટાયરમેન્ટની બાબતમાં કોઈ યુ-ટર્ન નહીં લઉં. આઇપીએલમાં બે ગ્રેટ ટીમ (મુંબઈ, ચેન્નઈ)નું પ્રતિનિધિત્વ કર્યું, ૧૪ સીઝનમાં કુલ ૨૦૪ મૅચ રમ્યો જેમાં ૧૧ પ્લે-ઑફમાં રમવા મળ્યું, ૮ ફાઇનલ રમ્યો, પાંચ ટ્રોફી જીત્યો. મેં આ ગ્રેટ ટુર્નામેન્ટમાં ખૂબ એન્જૉય કર્યું, થૅન્ક યુ ઑલ, નો યુ-ટર્ન.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK