૨૦૧૯ની પહેલી સીઝનમાં તે પંજાબ કિંગ્સ માટે માત્ર એક મૅચ રમ્યો હતો. ત્યાર બાદની ૬ સીઝનમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો છે.
હરભજન સિંહ અને વરુણ ચક્રવર્તી
મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે મુખ્ય આધાર બની ગયો છે, પરંતુ જો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ હરભજન સિંહની ભલામણ પર કામ કર્યું હોત તો આ સ્પિનર પાંચ વખતના IPL ચૅમ્પિયનના સેટઅપનો ભાગ બની શક્યો હોત. હરભજન CSK માટે બે સીઝન રમ્યો હતો અને ૨૪ મૅચમાં તેણે ૨૩ વિકેટ લીધી હતી. તે ૨૦૧૮માં તેની ટાઇટલ વિજેતા ટીમનો ભાગ પણ હતો.
હરભજન સિંહે ખુલાસો કર્યો હતો કે ‘વરુણ ચૅમ્પિયન બોલર છે. મેં તેને પહેલી વાર ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સની ટ્રેઇનિંગ દરમ્યાન જોયો હતો જ્યારે તે પ્રૅક્ટિસ બોલર હતો. મેં CSK મૅનેજમેન્ટને કહ્યું હતું કે તેને તરત જ સાઇન કરે, પણ એવું તેમણે કર્યું નહીં, કારણ કે તે ઘણી વાર નેટ્સમાં બરાબર પ્રદર્શન કરી શક્યો નહોતો.’ વરુણ ચક્રવર્તીએ ૮૪ IPL મૅચમાં ૭.૫૭ની ઇકૉનૉમી સાથે ૧૦૦ વિકેટ લીધી છે. ૨૦૧૯ની પહેલી સીઝનમાં તે પંજાબ કિંગ્સ માટે માત્ર એક મૅચ રમ્યો હતો. ત્યાર બાદની ૬ સીઝનમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો છે.
