Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વરુણ ચક્રવર્તીને ખરીદવાની હરભજનની ભલામણને CSKએ અવગણી હતી

વરુણ ચક્રવર્તીને ખરીદવાની હરભજનની ભલામણને CSKએ અવગણી હતી

Published : 18 March, 2026 03:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯ની પહેલી સીઝનમાં તે પંજાબ કિંગ્સ માટે માત્ર એક મૅચ રમ્યો હતો. ત્યાર બાદની ૬ સીઝનમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો છે.

હરભજન સિંહ અને વરુણ ચક્રવર્તી

હરભજન સિંહ અને વરુણ ચક્રવર્તી


મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે મુખ્ય આધાર બની ગયો છે, પરંતુ જો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ હરભજન સિંહની ભલામણ પર કામ કર્યું હોત તો આ સ્પિનર ​​પાંચ વખતના IPL ચૅમ્પિયનના સેટઅપનો ભાગ બની શક્યો હોત. હરભજન CSK માટે બે સીઝન રમ્યો હતો અને ૨૪ મૅચમાં તેણે ૨૩ વિકેટ લીધી હતી. તે ૨૦૧૮માં તેની ટાઇટલ વિજેતા ટીમનો ભાગ પણ હતો.

હરભજન સિંહે ખુલાસો કર્યો હતો કે ‘વરુણ ચૅમ્પિયન બોલર છે. મેં તેને પહેલી વાર ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સની ટ્રેઇનિંગ દરમ્યાન જોયો હતો જ્યારે તે પ્રૅક્ટિસ બોલર હતો. મેં CSK મૅનેજમેન્ટને કહ્યું હતું કે તેને તરત જ સાઇન કરે, પણ એવું તેમણે કર્યું નહીં, કારણ કે તે ઘણી વાર નેટ્સમાં બરાબર પ્રદર્શન કરી શક્યો નહોતો.’ વરુણ ચક્રવર્તીએ ૮૪ IPL મૅચમાં ૭.૫૭ની ઇકૉનૉમી સાથે ૧૦૦ વિકેટ લીધી છે. ૨૦૧૯ની પહેલી સીઝનમાં તે પંજાબ કિંગ્સ માટે માત્ર એક મૅચ રમ્યો હતો. ત્યાર બાદની ૬ સીઝનમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK