Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવનારો પથ મુશ્કેલ છે એવું ધારીને જ આગળ વધજે: સચિનની અર્જુનને સલાહ

આવનારો પથ મુશ્કેલ છે એવું ધારીને જ આગળ વધજે: સચિનની અર્જુનને સલાહ

25 May, 2022 03:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મેં ક્યારેય કોઈ પણ ટીમના સિલેક્શનમાં માથું નથી માર્યું’

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર



લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકરને આઇપીએલની બે સીઝન મળીને કુલ ૨૮ મૅચમાં રમવાનો મોકો નથી મળ્યો અને હવે રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડ માટેની ટીમમાં પણ તેનો સમાવેશ નથી. સચિનને ગઈ કાલે ‘સચઇન્સાઇટ’ શોમાં પુત્ર અર્જુન વિશે પુછાતાં કહ્યું, ‘હું અર્જુનને હંમેશાં કહું છું કે આવનારો પથ પડકારરૂપ, કસોટીવાળો તેમ જ મુશ્કેલ હશે. તને ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ છે એટલે જ તેં એ રમવાનું શરૂ કર્યું હતું અને એ પ્રેમ જાળવી રાખજે. મહેનત કરતો રહીશ તો પરિણામ આપોઆપ મળશે.’
સચિને ટીમ-સિલેક્શન બાબતમાં પુછાતાં કહ્યું, ‘મેં ક્યારેય કોઈ સિલેક્શનમાં પોતાને સામેલ નથી કર્યો. સિલેક્શનની બાબત હું ટીમ-મૅનેજમેન્ટ પર જ છોડતો હોઉં છું.’
અર્જુન અત્યાર સુધીમાં મુંબઈ વતી માત્ર બે ટી૨૦ મૅચ રમ્યો છે. તે ‘ટી૨૦ મુંબઈ લીગ’માં રમી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2022 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK