Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યે ક્યા હો રહા હૈ ભાઈ! મુસ્તફિઝુર રહમાનના વિવાદ વચ્ચે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની સિરીઝની જાહેરાત કરી

યે ક્યા હો રહા હૈ ભાઈ! મુસ્તફિઝુર રહમાનના વિવાદ વચ્ચે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની સિરીઝની જાહેરાત કરી

Published : 03 January, 2026 08:17 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક તરફ બંગલાદેશી ક્રિકેટરના પ્રકરણમાં શાહરુખ ખાનનો ભારે વિરોધ અને બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી બંગલાદેશની ટૂરની,

બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર

બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર


બંગલાદેશ ક્રિકેટ બોર્ડે મેન્સ ક્રિકેટ ટીમના ૨૦૨૬ના વ્યસ્ત શેડ્યુલની જાહેરાત કરી છે. ૨૦૨૫માં ભારતીય ટીમની બંગલાદેશની ટૂર હિંસાની સ્થિતિને કારણે કૅન્સલ થઈ હતી. તનાવને કારણે મુલતવી રહેલી એ ૩-૩ વન-ડે અને T20 સિરીઝ હવે આ વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે.

બંગલાદેશ ક્રિકેટ બોર્ડેની જાહેરાત અનુસાર ભારતીય મેન્સ ટીમ ૨૮ ઑગસ્ટે બંગલાદેશ પહોંચશે. વન-ડે સિરીઝની મૅચો ૧, ૩ અને ૬ સપ્ટેમ્બરે યોજાશે જ્યારે T20 સિરીઝની મૅચો ૯, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે રમાશે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ભારતના કેટલાક ભાગોમાં બંગલાદેશ સામે વ્યાપક ગુસ્સો છે. IPL 2026માં બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ખરીદવા બદલ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ ધાર્મિક નેતાઓના વિરોધનો સામનો કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 08:17 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK