Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અજય જાડેજાના પપ્પા દોલતસિંહનું અવસાન

અજય જાડેજાના પપ્પા દોલતસિંહનું અવસાન

Published : 15 March, 2015 04:55 AM | IST |

અજય જાડેજાના પપ્પા દોલતસિંહનું અવસાન

અજય જાડેજાના પપ્પા દોલતસિંહનું અવસાન


jadeja


ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર અજય જાડેજાના પપ્પા અને જામનગર શહેરના ભૂતપૂર્વ સંસદસભ્ય દોલતસિંહ જાડેજાનું ગઈ કાલે જામનગરમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. દોલતસિંહના દેહાંતના સમાચાર જ્યારે અજયને મળ્યા ત્યારે તે દિલ્હીમાં એક ચૅનલના લાઇવ ક્રિકેટ શોમાં એક્સપર્ટ ગેસ્ટ તરીકે બેઠો હતો. પપ્પાના અવસાનના સમાચાર મળ્યા પછી તે તરત જ ચૅનલના સ્ટુડિયોમાંથી સીધો ઍરર્પોટ પહોંચ્યો હતો અને જામનગર આવવા માટે રવાના થઈ ગયો હતો.

દોલતસિંહ જાડેજા અને ક્રિકેટર કપિલ દેવને બહુ સારા સંબંધો હતા. આ સંબંધોના દાવે જ કપિલ દેવ અજય જાડેજાને રણજી ટ્રોફી રમવા માટે ગુજરાતની બહાર લઈ ગયા હતા અને હરિયાણા વતી તેણે અજયને રમાડ્યો હતો.
જામનગરના રાજવી પરિવાર સાથે સંકળાયેલા દોલતસિંહ જાડેજા પણ ક્રિકેટર રહી ચૂક્યા હતા અને તેઓ સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2015 04:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK