Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતને આજે નવા મેદાન પર સળંગ સાતમી વન-ડે સિરીઝ જીતવાની તક

ભારતને આજે નવા મેદાન પર સળંગ સાતમી વન-ડે સિરીઝ જીતવાની તક

21 January, 2023 10:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારે હૈદરાબાદમાં ભારતીય ટીમ માઇકલ બ્રેસવેલ (૧૪૦ રન, ૭૮ બૉલ, ૧૦ સિક્સર, ૧૨ ફોર)ના આક્રમણમાં છેવટે પરાજયથી બચી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વન-ડેમાં ભારત ઘરઆંગણે ડિસેમ્બર, ૨૦૧૯થી અત્યાર સુધીમાં છેલ્લી લાગલગાટ છ વન—ટુ-વન સિરીઝ જીત્યું છે અને હવે આજે રાયપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શ્રેણીની બીજી મૅચ (બપોરે ૧.૩૦ વાગ્યાથી લાઇવ) પણ જીતીને સળંગ સાતમી સિરીઝ જીતવાની તક રોહિત શર્મા ઍન્ડ કંપનીને છે.
બુધવારે હૈદરાબાદમાં ભારતીય ટીમ માઇકલ બ્રેસવેલ (૧૪૦ રન, ૭૮ બૉલ, ૧૦ સિક્સર, ૧૨ ફોર)ના આક્રમણમાં છેવટે પરાજયથી બચી ગઈ હતી અને શુભમન ગિલ (૨૦૮ રન, ૧૪૯ બૉલ, ૯ સિક્સર, ૧૯ ફોર)ની ઐતિહાસિક ડબલ સેન્ચુરી એળે નહોતી ગઈ.
જોકે આજનું સ્થળ રાયપુરનું મેદાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે નવું છે એટલે ૫૦,૦૦૦ પ્રેક્ષકો વચ્ચે સાંજ પછીના ભેજની પરેશાનીમાં ભારત ટૉમ લેથમની ટીમ સામે જીતીને શ્રેણીમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવશે કે કેમ એ જોવું રહ્યું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આઇપીએલની મૅચો રમાઈ છે, પણ એકેય ઇન્ટરનૅશનલ મુકાબલા નથી થયા.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 10:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK