ફાલ્ગુની આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની અનુયાયી છે.
લાઇફ મસાલા
ફાલ્ગુની પાઠક
દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠકે રવિવારે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં બ્લડ ડોનેટ કર્યું હતું અને એ બદલ તેને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કન્ટ્રોલના સહયોગમાં મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવે છે. ફાલ્ગુની આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની અનુયાયી છે. વિખ્યાત રુમેટોલૉજિસ્ટ ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશી વર્ષોથી અધ્યાત્મના પંથે છે અને વિશ્વભરમાં પથરાયેલા તેમના અસંખ્ય અનુયાયીઓને સરળ-સાદી ભાષામાં જીવનનો મર્મ સમજાવે છે.