Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૃદયની બીમારી સારી થઈ ગઈ એટલે સાંવરિયા સેઠને ચડાવ્યું ચાંદીનું દિલ

હૃદયની બીમારી સારી થઈ ગઈ એટલે સાંવરિયા સેઠને ચડાવ્યું ચાંદીનું દિલ

Published : 23 May, 2026 12:40 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાલમુકુંદ તિવારી નામના ભક્તે હૃદયની બીમારી માટે સાંવરિયા સેઠની માનતા માની હતી

પ્રભુને ચાંદીનું દિલ ચડાવ્યું

અજબ ગજબ

પ્રભુને ચાંદીનું દિલ ચડાવ્યું


રાજસ્થાનના પ્રસિદ્ધ કૃષ્ણના ધામ શ્રી સાંવરિયા સેઠમાં ભક્તો અતૂટ આસ્થા અને વિશ્વાસ સાથે માનતા માને છે. અહીં જે માનતા પૂરી થાય એને લગતું ચાંદીનું પ્રતીક ચડાવવાની પ્રથા પડી ગઈ છે. કોઈકે પેટ્રોલનો ધંધો સારો ચાલ્યો તો ચાંદીનો પેટ્રોલ-પમ્પ ધર્યો હતો તો તાજેતરમાં બારમામાં સારા માર્ક્સ આવતાં ચાંદીની ચોપડી પ્રભુને ચરણે ધરી હતી. આ વખતે સાંવરિયા સેઠને ચાંદીનું હૃદય ચડાવવામાં આવ્યું છે. બાલમુકુંદ તિવારી નામના ભક્તે હૃદયની બીમારી માટે સાંવરિયા સેઠની માનતા માની હતી. બે વર્ષ પહેલાં બાલમુકુંદ તિવારીને હાર્ટ-અટૅક આવ્યો હતો અને જીવન બચવાના ચાન્સિસ ઘટી ગયા હતા. એવા સમયે ૩ મોટી હૉસ્પિટલો બદલીને અમદાવાદમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી. એ વખતે ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં બાલમુકુંદ તિવારીએ સાંવરિયા સેઠની માનતા માની હતી કે જો આ સર્જરી સફળ રહેશે તો પ્રભુને ચાંદીનું દિલ ચડાવશે.

એ માનતા પૂરી થતાં તેમણે સાંવરિયા સેઠના ચરણે ૧૯૭ ગ્રામના ચાંદીના હૃદયને અર્પણ કર્યું હતું. મંદિરના ઇતિહાસમાં પહેલી વાર કોઈકે ચાંદીનું હૃદય ભેટ ધર્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 12:40 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK