સંજય સિંહને 3 એપ્રિલે દિલ્હીની તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 2 એપ્રિલના રોજ ED એ SCને જાણ કરી હતી કે એજન્સીને સંજય સિંહને જામીન મળવા સામે કોઈ વાંધો નથી. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે સંજય સિંહને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. AAP કાર્યકર્તાઓએ ઢોલ વગાડી સંજય સિંહની મુક્તિની ઉજવણી કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યારે ભાજપ ભ્રષ્ટાચારની વાત કરે છે ત્યારે એવું લાગે છે કે ઓસામા બિન લાદેન અહિંસાની વાત કરી રહ્યો છે. વધુ માટે વિડિયો જુઓ.