કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 03 ડિસેમ્બરે મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામોમાં પક્ષની આગેવાની વર્તમાન મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને સમર્પિત કરી હતી. સિંધિયાએ કહ્યું કે, લાડલી બેહના યોજના ગેમ ચેન્જર છે અને તેનો સંપૂર્ણ શ્રેય શિવરાજ સિંહ ચૌહાણને જાય છે.