દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 59મી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે એક સ્મૃતિ સમારોહનું આયોજન કર્યું હતું. સમારોહમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્યોએ દિલ્હીમાં તેમના સ્મારક શાંતિ વન પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.