Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય માટે યુપીમાં શરૂ થયા પૂજાપાઠ

મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય માટે યુપીમાં શરૂ થયા પૂજાપાઠ

04 October, 2022 09:50 AM IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૈફઈના કાર્યકરો અને ગ્રામીણોએ હનુમાન ચાલીસાના પાઠ તેમ જ સંકટમોચનના જાપ કરવા શરૂ કર્યા છે

યુપીમાં પૂજાપાઠ

યુપીમાં પૂજાપાઠ


ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ  સિંહ યાદવની તબિયત ગઈ કાલે રાતે અચાનક ખરાબ થવાથી તેમને મેદાંતામાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ અને ઉત્તર પ્રદેશના તેમના ચાહકો તેમ જ સૈફઈ ગામના લોકો પોતાના નેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

સૈફઈના કાર્યકરો અને ગ્રામીણોએ હનુમાન ચાલીસાના પાઠ તેમ જ સંકટમોચનના જાપ કરવા શરૂ કર્યા છે. તેમનું કહેવું છે કે આ ગામ તેમની ભેટ છે અને તેઓ ફરી એક વાર સ્વસ્થ થઈને ગામ પાછા ફરશે. જોકે મુલાયમ સિંહ યાદવના ઘરે હાલમાં સન્નાટો છવાયો છે. પરિવારના લોકો મેદાંતા પહોંચી રહ્યા છે, જ્યારે કે સૈફઈના લોકો પોતાનાં ઘરોમાં નેતાજીના સ્વસ્થ થવાની દેવીમાને પ્રાર્થના કરી રહ્યા છે. વારાણસીમાં પણ હનુમાન મંદિરમાં મુલાયમ સિંહ યાદવ માટે મહામૃત્યુંજય અને ચામુંડા યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 09:50 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK