Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાલાકોટ હીરોને દિવાળીની ભેટ: વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ગ્રુપ કેપ્ટનનો રેન્ક મળ્યો

બાલાકોટ હીરોને દિવાળીની ભેટ: વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ગ્રુપ કેપ્ટનનો રેન્ક મળ્યો

Published : 03 November, 2021 07:07 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એરફોર્સ સાથેની અથડામણ દરમિયાન અભિનંદને બહાદુરી બતાવી હતી.

 અભિનંદન વર્ધમાન

અભિનંદન વર્ધમાન


ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સેના દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી છે. તેમને ગ્રુપ કેપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો છે. ગ્રુપ કેપ્ટનનો રેન્ક ભારતીય સેનામાં કર્નલની સમકક્ષ છે.


2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એરફોર્સ સાથેની અથડામણ દરમિયાન અભિનંદને બહાદુરી બતાવી હતી. તેણે પાકિસ્તાની F-16 વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનના પ્રમોશનને મંજૂરી મળી ગઈ છે. તેમને ટૂંક સમયમાં નવો રેન્ક મળશે. આ સાહસ માટે તેમને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.



નોંધનીય છે કે ફેબ્રુઆરી 2019 માં આતંકવાદીઓએ આત્મઘાતી હુમલામાં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોની બસને ઉડાવી દીધી હતી. આ પછી ભારતીય સેનાએ પીઓકેમાં હવાઈ હુમલો કર્યો. આ પછી પાક વાયુસેનાના વિમાનો કાશ્મીરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન શ્રીનગર સ્થિત ભારતીય વાયુસેનાની 51મી સ્ક્વોડ્રન તરફથી તેમને જવાબ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે 27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર અભિનંદને પાક વાયુસેનાના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું મિગ-21 વિમાન પણ પીઓકેમાં ક્રેશ થયું હતું. અભિનંદન પીઓકેના એક ગામમાં પેરાશૂટ દ્વારા ઉતર્યા હતા. ત્યાં તેને પાકિસ્તાની સુરક્ષા દળોએ કેદ કરી લીધો હતો. આ પછી ભારતના ભારે દબાણને કારણે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને અભિનંદન વર્ધમાનને મુક્ત કર્યો.


પુલવામા હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈક ક્યારે થઈ હતી?
14 ફેબ્રુઆરી 2019ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારથી ભારતમાં પાકિસ્તાન પર બદલો લેવાની માંગ તેજ બની છે. આના પર 26 ફેબ્રુઆરી 2019 ના વહેલી સવારે ભારતીય ફાઇટર એરક્રાફ્ટ મિરાજ 2000 ના એક જૂથે એલઓસી પાર કરી અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો. આતંકવાદી કેમ્પ પર 1000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં 12 મિરાજ એરક્રાફ્ટે ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2021 07:07 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK