Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથધામ રવાના થઈ બાબા કેદારની ડોલી, બીજી મેએ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલશે

ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથધામ રવાના થઈ બાબા કેદારની ડોલી, બીજી મેએ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલશે

Published : 29 April, 2025 08:35 AM | Modified : 29 April, 2025 02:42 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાબા કેદારની ડોલી શિયાળાના છ મહિના ઉખીમઠમાં વિશ્રામ કરે છે અને પછી કપાટ ખૂલતાં પહેલાં ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થાય છે

ગઈ કાલે ઉખીમઠથી બાબા કેદારનાથની પંચમુખી ડોલી નીકળી ત્યારે ભેગા થયેલા ભક્તો.

ગઈ કાલે ઉખીમઠથી બાબા કેદારનાથની પંચમુખી ડોલી નીકળી ત્યારે ભેગા થયેલા ભક્તો.


બાબા કેદારનાથની પંચમુખી ડોલી ગઈ કાલે શીતકાલીન ગાદીસ્થળ ઉખીમઠસ્થિત ઓમકારેશ્વર મંદિરથી વિધિવત્ પૂજા-અર્ચના બાદ કેદારનાથધામ તરફ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે વાતાવરણ જય બાબા કેદાર અને કેદારનાથના જય-જયકારથી ગુંજી ઊઠ્યું હતું. આ પૌરાણિક પરંપરા સાથે જ કેદારનાથધામનાં કપાટ ખૂલવાની ઔપચારિક પ્રક્રિયાનો પણ આરંભ થઈ ચૂક્યો છે. આ ડોલી વિભિન્ન પડાવ પર રાત્રિ-વિશ્રામ કરીને પહેલી મેએ કેદારનાથ પહોંચશે. બાબા કેદારની ડોલી શિયાળાના છ મહિના ઉખીમઠમાં વિશ્રામ કરે છે અને પછી કપાટ ખૂલતાં પહેલાં ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થાય છે. બીજી મેએ સવારે સાત વાગ્યે કેદારનાથધામનાં કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે.


અખાત્રીજ પર બાળવિવાહ ન કરતા



અક્ષયતૃતીયા આવી રહી છે ત્યારે ગઈ કાલે રાજસ્થાનના બિકાનેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ બાળવિવાહના વિરોધમાં અવેરનેસ ફેલાવી હતી. રાજસ્થાનમાં ઘણે ઠેકાણે અખાત્રીજના અતિશુભ મુરતમાં બાળવિવાહ યોજાતા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2025 02:42 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK