કારગિલ વિજય દિવસ પર રાજનાથ સિંહની પાડોશીને આપી ચેતવણી
દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘પાડોશી દેશ દ્વારા કરવામાં આવેલી દરેક ખરાબ હરકતનો જવાબ તેમણે કલ્પના પણ ન કરી હોય એ રીતે આપવામાં ભારત સક્ષમ છે. પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) સિવાયની કોઈ વાતચીત થશે નહીં. આ ભારતનો અભિન્ન હિસ્સો છે જેને પાકિસ્તાને પચાવી પાડ્યો છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કટ્ટરપંથી કેન્દ્રો બનાવી રહ્યું છે જે બન્ને દેશો વચ્ચે તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે.’
